આયુષ્માન કાર્ડ યોજના વિશે
આજના લેખમાં અમે તમને આયુષ્યમાન કાર્ડ યોજના વિશે જણાવવાના છે આ યોજના અંતર્ગત શું શું લાભ મળે છે અને આ કાર્ડ કઈ રીતે બનાવવું તેની સંપૂર્ણ માહિતી અમે તમને આજના લેખમાં આપવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો, ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્ર સ્વચ્છતા સુરક્ષા મિશન તરીકે આ યોજના ને શરૂ કરવામાં આવેલ છે આ યોજના ભારતનું સંચાલન રાષ્ટ્રિય સ્થળ નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્યસભા રાજ્ય હેલ્થ એજન્સી કરશે આયુષ્માન ભારત યોજના દેશના 50 કરોડ જેટલા ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે, તો મિત્રો આ આયુષ્માન યોજના અંતર્ગત અત્યાર સુધી લગભગ 50 કરોડથી પણ વધારે લોકોએ પોતાના આયુષ્માન કાર્ડ બનાવ્યા છે.
આજના સમયમાં ભારત દેશમાં ઘણા ગરીબ લોકો છે જે પોતાના ખર્ચા નથી ઉઠાવી શકતા એવા સમયમાં જો તેમના પરિવારમાં કોઈની તબિયત ખરાબ થાય અને જો વધુ ખર્ચો આવે તો તે કઈ રીતે ઉઠાવી શકે એટલા માટે ભારત સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ યોજના ની શરૂઆત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ભારત દેશના ગરીબ પરિવારને તેમના સ્વાસ્થ્ય માટે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરી આપવામાં આવશે તેવું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આયુષ્માન કાર્ડ યોજના નો લાભ
ઘણા લોકોના મનમાં એવો સવાલ જરૂર હશે કે આ આયુષ્માન યોજના શા માટે બનાવવામાં આવે છે? તો મિત્રો આમ તો આપણે આગળ જાણ્યું કે આયુષ્માન કાર્ડ થી કોઈપણ વ્યક્તિ ની તબિયત ખરાબ હોય તેવા સમયે આયુષ્માન કાર્ડ કામ આવતું હોય છે, કોઈપણ ગરીબ વ્યક્તિ જો આયુષ્માન યોજના કાર્ડ પોતાનું બનાવ્યું છે અને તે ગરીબ વ્યક્તિની તબિયત ખરાબ થાય છે અને તેનો હોસ્પિટલમાં ખર્ચ વધુ આવે છે તેવા સમયે આ વ્યક્તિને આ કાર્ડ ખૂબ જ કામ આવતું હોય છે, જો હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય તો તે બધો જ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે ગરીબ વ્યક્તિને કંઈ પણ ખર્ચ હોસ્પિટલ ને આપવાનો હોતો નથી, આ યોજનાનો સૌથી મોટો ફાયદો છે.
આયુષ્માન કાર્ડ યોજના નો લાભ કોણ લઈ શકે?
ભારત સરકાર દ્વારા વર્ષ 2011 12 માં હાથ ધરાયેલ સામાજિક આર્થિક સર્વેક્ષણ મુજબ જે પણ પરિવારની ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવે છે અને જે પરિવારો બીપીએલ કાર્ડ ધારક છે તેવા તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજના નો લાભ મળશે તેવું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે ગુજરાતના લગભગ 44 લાખથી વધુ ગરીબ પંચિત પરિવારના બે પોઇન્ટ 25 કરોડ લોકોને સો ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે તેવું ગુજરાત સરકારે જણાવ્યું છે. આ આયુષ્માન યોજના ગરીબ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.
આયુષ્માન કાર્ડ યોજના માટે પાત્રતા
- 16 થી 59 વર્ષના કોઈપણ ગરીબ વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકે છે.
- એક વિકલાંગ વ્યક્તિ સાથે ના પરિવાર ધ્રુવ અને સારા સ્વાસ્થ્યમાં કોઈ પુખ્ત વ્યક્તિ નથી તેવા લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકે છે.
- સરકાર દ્વારા જે પણ વાર્ષિક આવક દંડ નક્કી કરવામાં આવ્યો તેનાથી ઓછી આવક વાળા લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે.
- જો તમારો સમાવેશ ગરીબી રેખા નીચે થાય છે તો તમને આ યોજનાનો લાભ મળી શકે છે.
- જે પણ લોકો આર્થિક રીતે ગરીબ છે તેવા લોકોને લાભ મળશે.
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?
જે પણ મિત્રો પોતાનું આયુષ્માન કાર્ડ બનાવવા ઈચ્છે છે તે નીચેના સ્ટેપ ફોલો કરીને પોતાનું કાર્ડ બનાવી શકે છે.
આયુષ્માન યોજના માટે ની અધિકારીક વેબસાઈટ :- https://abdm.gov.in/
સૌપ્રથમ તમારે આયુષ્માન યોજના ની અધિકારિક વેબસાઈટ ઉપર જવાનું છે.
લાભાર્થીનો વિકલ્પ પસંદ કરવાનો છે ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
ત્યારબાદ રાજ્ય યોજના PMJAY માં આધાર અને પરિવારની વિગતો દાખલ કરો.
અહીં જે પણ વ્યક્તિનું આયુષ્માન કાર્ડ બનાવવાનું છે તેના નામની બાજુમાં ટચ કરો ત્યારબાદ સંબંધિત વ્યક્તિના રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે ત્યાર પછી દરેક વિગતો ભર્યા બાદ અરજી કરતા ની વિગતો ખુલશે.
હવે તમારે અહીં તમારો ફોટો જન્મ તારીખ અને અન્ય માહિતી અપલોડ કરવાની છે.
પછી છેલ્લે ફાઇનલ સબમિટ બટન આવશે તેના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું આયુષ્માન કાર્ડ બની જશે જે તમે થોડાક સમય બાદ આ વેબસાઈટ ઉપરથી જ ડાઉનલોડ કરી શકો છો.
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું?
જો તમે તમારું કાર્ડ પહેલા જ બનાવી દીધું છે અને હજી સુધી તમારા ઘરે તમને આ કાર્ડ મળ્યું નથી તો આવા સમયમાં તમે આ કાર્ડની ડુપ્લીકેટ કોપી તમારા મોબાઈલથી ડાઉનલોડ કરી શકો છો, સૌપ્રથમ તમે આયુષ્માન યોજના ની અધિકારિક વેબસાઈટ ઉપર જઈને અમુક યોગ્ય વિગતો ભરીને આ કાર્ડ ને બહુ જ સરળ રીતથી ડાઉનલોડ કરી શકો છો.
આ વાંચો :-
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 નો લાભ કોને મળશે? અહીં જાણો સંપૂર્ણ માહિતી
પીએમ કિસાન યોજના નો હફતો આ ખેડૂતો નહિ મળે, જાણીલો નવી અપડેટ વિશે સંપૂર્ણ માહિતી

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે