સપ્ટેમ્બર મહિનામાં 15 દિવસ બેન્કો રહેશે બંધ, જાણો સંપૂર્ણ રજાઓની યાદી
નમસ્કાર મિત્રો આજથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, આ સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઈ એ બેંકોમાં રજાઓની યાદી જાહેર કરી છે કે આ મહિનામાં કેટલી રજાઓ રહેશે, આરબીઆઈના હોલીડે કેલેન્ડર મુજબ ભારતના વિવિધ પ્રદેશોમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સપ્ટેમ્બર મહિનામાં કુલ ત્રણ પાંચ સાત દિવસો નહીં પણ 15 દિવસો માટે બેંકો રહેશે બંધ.
જો તમારી કોઈપણ બેંક સંબંધિત કામ હોય તો એવામાં મુશ્કેલી ન પડે તે માટે તમારે જાણવું જરૂરી છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર કયા પંદર દિવસો માટે બેન્ક બંધ રહેવાની છે. સપ્ટેમ્બર મહિનામાં 15 દિવસ ની રજાઓમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓ તેમજ રવિવાર બીજા અને ચોથા શનિવાર નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર તમારે બેન્ક ને લગતું કોઈ પણ કામ હોય તો સૌપ્રથમ અહીં જાણી લેજો કે જે દિવસે તમે બેંકમાં જઈ રહ્યા છો તે દિવસે બેંકમાં રજા તો નથી ને.
બેન્ક બંધ રહેવાના દિવસો નીચે મુજબ છે.
- 1 સપ્ટેમ્બર ના દિવસે રવિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે
- 4 મી સપ્ટેમ્બર તિરુભવ તિથિ ઓફ શ્રીમંતા શંકરદેવા નિમિત્તે ગુવાહાટીના કારણે બેન્ક બંધ રહેશે.
- 7 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી હોવાના કારણે બધી જ બેંકો બંધ રહેશે, અને ભારતમાં બધે જ રજા હશે.
- 8 તારીખે ફરીવાર રવિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે.
- 14 સપ્ટેમ્બર ના દિવસે બીજો શનિવાર અને પ્રથમ ઓણમ (કોચી, રાંચી અને તિરુવનંતપુરમમના કારણે જાહેર રજા.
- 15 સપ્ટેમ્બર ફરીવાર રવિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે.
- 16 સપ્ટેમ્બર ના દિવસે સોમવારે ઈદ એ મિલાદ હોવાના કારણે સંપૂર્ણ ભારતમાં રજા રહેશે.
- 17 સપ્ટેમ્બરના દિવસે મિલાદ-ઉન-નબી ગંગટોક અને રાયપુરમાં રજા હોવાના કારણે બેંકો બંધ રહેશે.
- 18 મી સપ્ટેમ્બરના દિવસે પેંગ-લાહાબસોલ ગંગટોક અને રાયપુરમાં રજા
- 20 મી સપ્ટેમ્બરના દિવસે ઈદ-એ-મિલાદ-ઉલ-નબી જમ્મુ અને શ્રીનગરમાં રજા રહેશે.
- 21 સપ્ટેમ્બરના દિવસે શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસનીમીતે કોચી અને તિરુવનંતપુરમમાં રજા રહેશે.
- 22 સપ્ટેમ્બરના દિવસે ફરી રવિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે.
- 23 સપ્ટેમ્બરના રોજ મહારાજા હરિ સિંહનો જન્મદિવસ જમ્મુ અને શ્રીનગરમાં રજા રહેશે.
- 28 સપ્ટેમ્બર મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે.
- 29 સપ્ટેમ્બરના દિવસે રવિવાર હોવાથી બેંક બંધ રહેશે.
નોધ:-
મિત્રો તમારે અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ બેંકની રજાઓ રાજ્ય અનુસાર બદલાય છે, જેમકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સાત અને 16 સપ્ટેમ્બર ના દિવસે જ બેંકો બંધ રહેશે અને તેના સિવાય શનિવાર અને રવિવારે બેંકો બંધ રહેશે, આમ જે બીજી રજાઓ આપેલી છે તે બીજા રાજ્યમાં હોઈ શકે છે અને ગુજરાતમાં બેંકો ચાલુ હોઈ શકે છે જેની ખાસ નોંધ તમારે લેવાની રહેશે.
જો મિત્રો આના સિવાય તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આરબીઆઇની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને બેંકો કયા કયા દિવસે બંધ રહેવાની છે તેના વિશે વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો. આરબીઆઇની ઓફિસિયલ વેબસાઈટ ની લીંક નીચે આપેલી છે તેના ઉપર ક્લિક કરીને તમે વધુ જાણી શકો છો.
https://www.rbi.org.in/commonman/Gujarati/scripts/noterefund.aspx
આ વાંચો:-
આવતીકાલનું હવામાન 2024 : હવામાન વિભાગે કરી આગાહી, કાલથી ફરી મેઘરાજાનું જોર વધશે !

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે