PM awas yojana 2024 : પીએમ આવાસ યોજના માટે ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં કરો અરજી
પીએમ આવાસ યોજના એક ભારત સરકારની એક ક્રાંતિકારીક યોજના છે, આ યોજના અંતર્ગત ભારત સરકાર જરૂરીયાત મંદ લોકો કે ગરીબ લોકો ને રહેવા માટે ઘર બનાવી આપે છે, આ યોજનાની પ્રધાનમંત્રી આવાસ યોજના તરીકે ઓળખવામાં આવે છે, અત્યારના સમયમાં ઘણા લોકો ગરીબ છે જે પોતાનું ઘર પણ નથી બનાવી શકતા એવા લોકોને સરકાર દ્વારા આ યોજના અંતર્ગત સહાય કરવામાં આવે છે, જેના દ્વારા કોઈ પણ ગરીબ લોકો પોતાનું ઘર બનાવી શકે અને તે ઘરમાં રહી શકે.
ઘણા લોકો એટલા બધા જરૂરિયાત મંદ હોય છે કે જેમની પાસે સારું રહેવા માટે મકાન પણ નથી હોતું, જેના કારણે તેમની બહાર રહેવું પડે છે, આવા લોકોને વરસાદના સમયે ખૂબ જ તકલીફો પડતી હોય છે, ઘણા લોકોને રહેવા માટે કે સામાન મુકવા માટે પણ ઘર નથી હોતું, અમુક લોકો ગરીબ હોય છે જેને કારણે પોતાનું ઘર પણ સારી રીતે નથી બનાવી શકતા એમના માટે સરકાર દ્વારા આ પીએમ આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ કોને મળશે અને તમે આ યોજનાનું લાભ કઈ રીતે મેળવી શકો તેના વિશે આજના લેખમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
પીએમ આવાસ યોજનાનો કોણ લાભ મેળવી શકે?
આમ તો આપ પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ આમ તો દરેક ગરીબ લોકો મેળવી શકે છે પરંતુ નીચે આપેલા જે પણ લોકો છે તે આ યોજનાનું લાભ મેળવી શકે છે અને પોતાના ઘર બનાવવા માટે સરકાર દ્વારા સહાય મેળવી શકે છે.
- અન્ય પછાત વર્ગો (OBC)
- અનુસૂચિત જાતિ (SC)
- અનુસૂચિત જનજાતિ (ST)
- મુક્ત બંધુઆ મજૂરો
- મહિલાઓ
- વિકલાંગ નાગરિકો
- ભૂતપૂર્વ સૈનિકો
- વિધવાઓ
પીએમ આવાસ યોજના માટે આવશ્યક દસ્તાવેજો
જે પણ લોકો પીએમ આવાસ યોજના નું લાભ મેળવવા ઈચ્છે છે તેમની પાસે નીચે આપેલા બધા જ દસ્તાવેજો હોવા જરૂરી છે તો જ તમને આ યોજનાનો લાભ મળશે.
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- બીપીએલ પરિવારનો પુરાવો
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઇલ નંબર
પીએમ આવાસ યોજના માં કેટલો લાભ મળે છે?
જે પણ લોકો પોતાનું ઘર બનાવાય છે અને તેમની પાસે પૈસા નથી તેવા લોકો આ પીએમ આવાસ યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજના અંતર્ગત જે લોકો પોતાનું ઘર બનાવવા ઈચ્છે છે તેમને સરકાર દ્વારા પૈસા આપવામાં આવે છે તો ચાલો જાણીએ કે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત કેટલા રૂપિયા આપવામાં આવે છે.
જે પણ લોકો મેદાની વિસ્તારમાં રહે છે અને પોતાનું ઘર ત્યાં બનાવવા ઈચ્છે છે તેમને મેદાની વિસ્તારમાં ઘર બનાવવા માટે 1.2 લાખની સહાયતા સરકાર દ્વારા કરવામાં આવે છે, જ્યારે પર્વતીય અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકો પોતાનું ઘર બનાવાય છે અને આ યોજનાનું લાભ મેળવવા ઈચ્છે છે તો તેમને સરકાર દ્વારા 1.3 લાખની સહાય કરવામાં આવશે.
આ યોજનાની અંદર જેમ જેમ તમારું ઘર બનતું જાય તેમ તેમ તમને સરકાર દ્વારા અલગ અલગ હપ્તા દ્વારા પૈસા મળે છે, જેના વિશે તમે વધુ માહિતી તેમની ઓફિસિયલ વેબસાઈટ ઉપરથી મેળવી શકો છો.
પીએમ આવાસ યોજના માટે અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ તમારે આવાસ યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું છે, જેની લિંક અમે નીચે આપેલી છે તેના ઉપર ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો.
- https://pmaymis.gov.in/ આ વેબસાઈટને તમારા મોબાઇલમાં ઓપન કરો ત્યારબાદ તમારે “આવાસ” વિકલ્પ શોધવાનો છે અને તેના ઉપર ક્લિક કરવાનું છે.
- ત્યારબાદ તમારી ડેટા એન્ટ્રી ની લીંક શોધવાની અને તેના પર ક્લિક કરવાનું છે.
- હવે પંચાયત અને બ્લોક સ્તરના યુઝર આઈડી અને પાસવર્ડનો ત્યાં લખીને તમારે લોગીન કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે આ યોજના માટેનું એક ફોર્મ ભરવાનું રહેશે જેમાં તમારે તમારી દરેક જાણકારી ધ્યાન થી લખવાની રહેશે અને આવશ્યક દસ્તાવેજ નો ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમને નીચે સબમીટ બટન મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું ફોર્મ સબમીટ થઈ જશે અને તમારે તેની પ્રિન્ટ આઉટ નીકળી લેવાની છે.
નોંધ :- તમારું ફોર્મ ભરાઈ ગયા બાદ તમારું ફોર્મ એટલે પહોંચ્યું તે તમે આ વેબસાઈટ ઉપર આવીને જ જોઈ શકો છો તમારા ફોર્મને આ વેબસાઈટ ઉપર આવીને જ ચેક કરી શકો છો કે ટ્રેક કરી શકો છો.
આ વાંચો :-
Motorola Edge 50 Neo : લોન્ચ થયાના પહેલા જ specs થયા લીક, જાણો કિંમત, ઉપલબ્ધતા, ફીચર અને specs !
ચાંદીપુરા વાયરસ નો કહેર : ગુજરાતમાં અત્યાર સુધી 27 બાળકોના મોત, 24 કલાકમાં 10 કેસ નોંધાયા

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે