મુકેશ અંબાણી ની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ નાણાંકીય વર્ષ 2023-24 દરમિયાન 42,000 કર્મચારીઓ ની છૂટી કરી વ્યાપક ઘટાડો કર્યો છે.
રિલાયન્સ કંપનીના 11 ટકા જેટલા કર્મચારીઓ સમકક્ષ આ નોંધપાત્ર ઘટાડાના કારણે ઉદ્યોગ માં આંચકો આવ્યો છે.
રિલાયન્સ કંપની વર્ષ 2023 ના અંત દરમિયાન 3,89,000 નું વર્કફોર્સ ધરાવતી હતી જે હવે તેના સ્ટાફ ની સંખ્યા ઘટાડી ને 3,47,000 કરી દીધી છે
એક સમય રિલાયન્સ કંપની 2,45,000 કર્મચારીઓ નું ઘર હતું, રિટેલ વિભાગ હવે માત્ર 2,0,7,000 લોકો ને જ રોજગારી આપી રહી છે.
ભરતીમાં પણ ભારે ઘટાડો જોવા મળે છે. રિલાયન્સ નો તાજેતર નો વાર્ષિક અહેવાલ નવી ભરતી માં ભારે ઘટાડો દર્શાવે છે
જે પાછળ ના વર્ષ ની સરખામણીએ એક તૃતિયાંશથી ઘટી ને માત્ર 1,70,000 રહી ગયો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ના આ ઘટાડા ની સીધી અસર રિટેલ સેક્ટર માં પડી છે, જ્યાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની આક્રમક વિસ્તરણ યોજનાઓ પલટાઈ ગઈ છે, જે જોબની ખોટ માં નોંધપાત્ર યોગદાન આપે છે.
ટેલિકોમ જાયન્ટ જીઓએ પણ સ્ટાફની સંખ્યામાં ઘટાડો કર્યો છે, જોકે ઓછા પ્રમાણમાં છે. ગયા વર્ષે કર્મચારીઓની સંખ્યા 95,000 હતી જેની જિઓએ ઘટાડીને 90,000 કરી દીધી છે