ધોરણ એક થી 12 ના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ગણવેશ સહાય આપવામાં આવતી હોય છે.
આ ગણવેશ સહાયનો લાભ કયા વિદ્યાર્થીઓને મળશે તે અહીં અમે તમને જણાવવાના છીએ.
આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓને મળે છે.
ગણવેશ સહાય યોજના નો લાભ અપંગ વિદ્યાર્થીઓને પણ મળતો હોય છે.
જે પણ વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળશે.
ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓની બે જોડી ગણવેશ માટે ₹600 ની વાર્ષિક સહાય આપવામાં આવતી હોય છે.
ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને એક જોડી ગણવેશ લાવવા માટે ₹400 ની વાર્ષિક સહાય આપવામાં આવતી હોય છે.