ધોરણ એક થી 12 ના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ગણવેશ સહાય આપવામાં આવતી હોય છે.

આ ગણવેશ સહાયનો લાભ કયા વિદ્યાર્થીઓને મળશે તે અહીં અમે તમને જણાવવાના છીએ.

આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓને મળે છે.

ગણવેશ સહાય યોજના નો લાભ અપંગ વિદ્યાર્થીઓને પણ મળતો હોય છે.

જે પણ વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળશે.

ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓની બે જોડી ગણવેશ માટે ₹600 ની વાર્ષિક સહાય આપવામાં આવતી હોય છે.

ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને એક જોડી ગણવેશ લાવવા માટે ₹400 ની વાર્ષિક સહાય આપવામાં આવતી હોય છે.