અંબાલાલ પટેલની નવી આગાહી 2024 : છેલ્લા કેટલાક સમય થી રાજ્યના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે. તેવા માં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ નવી આગાહી વ્યકત કરતા જણાવ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢ મહિના માં જેવી રીતે ભારે વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બર મહિનામાં પણ વરસી શકે છે. જેને કારણે ભારે ખર્ચો કરીને નવરાત્રિનું આયોજન કરનાર આયોજકો પણ ચિંતા માં છે. જો કે, આના કરતાં પણ ભારે આગાહી અંબાલાલ પટેલે શિયાળા અંગે કરી છે.
અંબાલાલ પટેલએ આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં પણ અષાઢી માહોલ જામશે. અષાઢ મહિના માં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેવી જ રીતે સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ વરસશે. બંગાળના ઉપસાગર ની સિસ્ટમ સક્રિય થી હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોમ્બર વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આ વરસાદ નવરાત્રિના દિવસોની મજા બગડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ચોમાસાએ હજુ રાજ્યમાંથી વિદાય લીધી નથી.
અંબાલાલ એ કહ્યું છે કે , રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડતાં ગ્રહોના જલદાયક નક્સ્ત્ર નાડીના યોગને દેખતા 19 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદી ઝાપટાં વધી શકે છે. 26 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ઝાપટાં રહેશે. આ સમયે કેટલા વિસ્તારોમાં ભારે ઝાપટાં પડી શકે છે.
ચોમાસાના વિદાય અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે, 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસુ વિદાય લઈ શકે છે. જેથી તેમના પશ્ચિમી પવનો નું જોર વધતાં પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોમ્બર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાં છે. સાથે સાથે પૂર્વની બાજુથી પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ની સંભાવના છે.
આવી જ હવામાન વિશે ની અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર અપડેટ્સ મળતી રહે.
શું નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ? જાણો વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદ થોભ્યો! છેલ્લા 24 કલાકમાં માત્ર 3 તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.