Bangladesh News Live : તમામ ભારતીય અરજી કેન્દ્રો અત્યારે બંધ ! 19,000 કરતા વધારે ભારતીયો ફસાયા

WhatsApp Group Join Now

Bangladesh news : અત્યારે બાંગ્લાદેશ ની અંદર તમામ ભારતીય અરજી કેન્દ્રો રહેશે બંધ ! જ્યાં સુધી સૂચના ના આપવામાં આવે ત્યાં સુધી રહેશે બંધ!

બાંગ્લાદેશ માં હાલ ચાલી રહેલ અશાંતિ ના કારણે શેખ હસીના ને વડાપ્રધાન ના પદ પરથી રાજીનામું આપી ને દેશ છોડી ને ભાગી ગયા હતા.

Banglades News Live : તમામ ભારતીય અરજી કેન્દ્રો અત્યારે બંધ ! 19,000 કરતા વધારે ભારતીયો ફસાયા

બાંગ્લાદેશ માં વધી રહેલ હિંસા ના કારણે ભારતે બુધવારે ધાંકા ની અંદર ફસી રહેલ બિન જરુરી સ્ટાફ અને રાજદ્વારીઓ ના પરિવારો ને બહાર કાઢ્યા છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર તેઓ નું વળતર સ્વેચ્છીક ધોરણે દિલ્હી ની કોમર્શિયલ ફ્લાઇટ પર હતું. જો કે , ઢાંકા ની અંદર ભારતીય હાઈ કમિશન રાજશાહી, ચિતાગોંગ, ખુલના અને સિલ્હેટ ના ખાતેના કોનસ્યુંલેટ્સમાં સંપુર્ણ રીતે કાર્યરત હતા, તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પોસ્ટ્સ ખાલી કરવા માટે હાલ પૂરતી કોઈ યોજના નથી.

ભારતીય વિઝા માટે અરજી કરવા માટેના પોર્ટલ પર હાલ એક સંદેશ આપવામાં આવી રહ્યો છે કે “અસ્થિર પરિસ્થિતિ ના કારણે તમામ IVAC આગામી સૂચના સુધી બંધ રહેશે. અને આગામી અરજી ની તારીખ SMS ના માઘ્યમ થી જણાવવામાં આવશે, અને આગામી કાર્યકાળ દરમિયાન પાસપોર્ટ લેવા વિનંતી કરવામાં આવે છે”

ઢાંકા નું શાહજલાલ એરપોર્ટ સોમવાર ના રોજ બંધ કરવામાં આવ્યું હતું, જો કે હવે તે કાર્યરત છે.  ઇન્ડિગો અને એર ઇન્ડિયા 6 ઓગસ્ટ થી ભારતીયો ને પરત લાવવા માટે સ્પેશિયલ ફ્લાઇટ નું આયોજન કરી રહ્યા છે, જો કે બુધવારે મતલબ કે ગઈ કાલથી સામાન્ય કામગીરી શરૂ કરી દીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ની રેલ સેવા પણ ખોરવાઈ ગઈ છે.

મંગળવારે સાંસદ ની અંદર વિદેશ પ્રધાન એસ. જયશંકરએ જણાવ્યુ હતું કે “બાંગ્લાદેશ માં અંદાજિત 19,000 ભારતીય નાગરિકો હતા જેમાંથી 9,000 વિદ્યાર્થીઓ હતા, જેમાંથી મોટભાગના ના લોકો જુલાઇ મહિના માં પાછા આવતા રહ્યા છે.

આ પણ વાંચોઆવતીકાલનું હવામાન :- ગુજરાત પર વાવાઝોડાનો ભારે સંકટ, અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો માહિતી 

આજે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મુહમ્મદ યુનુસના  નેતૃત્વ હેઠળ વચગાળાની સરકાર. બાંગ્લાદેશ ના રાષ્ટ્પતિ મોહમ્મદ શાહાબુદીન શપથ લેવડાવશે. એમ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ વકર-ઉજ-ઝમાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે બુધવારે રાત્રે 8 વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ઢાંકા ટ્રીબ્યુન અનુસાર યુનુસ બપોરે 2.10 વાગે આસપાસ બાંગ્લાદેશ પહોંચશે, જેમાં 400 લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યુનુસ ની હાલ પેરિસ ખાતે તબીબી સારવાર ચાલી રહી છે. વચગાળાની ની સરકાર ના કદ અંગે ઝમાને જણાવ્યુ હતુ કે “હું માનું છું કે તે શરૂઆત માં લગભગ 15 સભ્યો ધરાવે છે. જો કે તેમાં એક કે બે વ્યક્તિ ને એડ કરી શકવામાં આવે છે.

સરકારી જોબના ક્વોટાની સામે વિદ્યાર્થીઓ ના દેખાવો તરીકે શરૂ થયેલ ઘાતક વિરોધ ના અઠવાડિયા પછી બાંગ્લાદેશ ના વડાપ્રધાન હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું હતું, પરંતુ તેમના રાજીનામાની માંગણી કરતી ચળવળ માં વધારો.

વધુ વાંચો: 

Budget 2024 : બજેટ 2024 માં શું સસ્તું થયું અને શું મોંઘું થયું, જાણો અહીં 

થોડા સમયમાં જ Vivo V40 અને Vivo V40 Pro ભારતીય માર્કેટ માં થસે લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ અને specs

Leave a comment