ગુજરાતમાં ફેલાયો નવો વાયરસ | ગુજરાતના 6 જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર
નવો વાયરસ : નમસ્કાર મિત્રો, અત્યારના સમયમાં ગુજરાતના છ જિલ્લાઓમાં ચાંદીપુરા રોગનો હાહાકાર જોવા મળી રહ્યો છે, અત્યાર સુધી આ રોગના 11 કેસનો વધારે એમાંથી સાત બાળકોના મૃત્યુ થયા છે, આ એક બહુ જ ચિંતાજનક વિષય ગણી શકાય છે, અત્યારે ગુજરાતના શિક્ષક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અને ગીર સોમનાથના વેરાવળમાં સૌથી વધારે 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમા ફેલાયેલા નવા વાયરસ નું નામ શું છે? | ચાંદીપુરા વાયરસ |
આ વાયરસના કેટલા કેસ નોંધાયા છે? | અત્યાર સુધી 11 બાળકોના કેસ નોંધાયા છે. |
ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં કઈ બાજુ ફેલાયો છે | અત્યારે આ વાયરસ કેસ ઉત્તર ગુજરાતમાં નોંધાયા છે. |
અત્યારના સમયમાં આ નવો વાયરસ ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ઉત્તર ગુજરાતમાં ખૂબજ પ્રચલિત બની ગયો છે, આ રોગ વિશે આપણી ઘણું બધું માહિતી પ્રાપ્ત કરવાના છીએ અને કયા છ જિલ્લાઓમાં આ રોગના કેસના થયા છે તેના વિશે પણ આપણે આ લેખમાં માહિતી પ્રાપ્ત કરવાના છે તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો, આ લેખમાંથી તમને આ ચાંદીપુરા રોગ વિશે ઘણું બધું જાણવા મળશે તો અંત સુધી જરૂરથી વાંચજો.
અમદાવાદ :- કોરોના વાયરસમાંથી લોકોને મુક્તિ મળતા લોકો બહુ જ ખુશ જોવા મળ્યા હતા, પરંતુ ફરીવાર ગુજરાતમાં એક નવો વાયરસ નોંધાય રહ્યો છે જે બહુ જ ભયાનક સાબિત થઈ રહ્યો છે, ભારતનો સ્વદેશી ચાંદીપુરા વાયરસ બાળકો ઉપર તબાહી મચાવી રહ્યો છે, અત્યાર સુધી આ ચાંદીપુરા વાયરસ ની ઝડપમાં 11 બાળકો આવ્યા તેમાંથી લગભગ સાત બાળકોના મૃત્યુ થયા છે, આ એક બહુ જ ચિંતાજનક વિષય છે, 6 બાળકોના મૃત્યુ થયા બાદ ચાંદિપુરા વાયરસ નો ખળભળાટ મચી ગયો છે.
સ્વચ્છતા વિભાગના ના અનુસાર આ ચાંદીપુરા વાયરસ લગભગ 60 વર્ષથી તેની હાજરીનો અહેસાસ કરાવી રહ્યો છે, અને સમયાંતરે અલગ અલગ રાજ્યોમાં રોગચાળો ફેલાવી રહ્યો છે, આ વાયરસની ખાસ વાત એ છે કે આ વાયરસ ભારતમાં જ ઉદ્ભવ્યો હતો અને તે અત્યારે બાળકોને ચેપ લગાડી રહ્યો છે જેના કારણે બાળકો મૃત્યુ પામી રહ્યા છે, ડો. આંબેડકર સેન્ટર ફોર બાયોમેડિકલ રિસર્ચ, નવી દિલ્હીના ડાયરેક્ટર,અને વાઈરોલોજિસ્ટ પ્રોફેસર સુનિત કે સિંહ ના જણાવ્યા અનુસાર આ રોગ બહુ જ ખતરનાક છે બાળકોના મગજ ઉપર પણ અસર કરે છે અને આ રોગના કારણે કોમામાં પણ બાળક જઈ શકે છે અથવા તો તેનું મૃત્યુ પણ પામી શકે છે.
આ વાંચો:-માનવ કલ્યાણ યોજના 2024 યોજનામાં કઈ રીતે કરવી અરજી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
નવો વાઇરસ નો જન્મ
આ રોગ આમ તો ઘણો જૂનો છે, આ ચાંદીપુરા વાયરસ નો જન્મ 1964-65 માં મહારાષ્ટ્રના નાગપુર સ્થિત માં ચાંદીપુરા ગામમાં થયો હતો, આ વાયરસ બીજા કોઈ પણ દેશમાં જોવા મળ્યો ન હતો અને સૌ પ્રથમ આ રોગ ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હતો તેના કારણે આ વાયરસ નું નામ ચાંદીપુરા વાયરસ આપવામાં આવ્યું. હા વાયરસ ના આમ તો છુટા છવાયા બહુ જ ઓછા કેસ જોવા મળતા હતા પરંતુ આ વખતે ગુજરાતમાં 11 કેસો આ ચાંદીપુરા વાયરસ ના હોય તેવું જોવા મળ્યું છે. 6 બાળકો મૃત્યુ પણ આ વાયરસના કારણે પામ્યા છે. આમ આ ગુજરાતમાં એક નવો વાયરસ ગણી શકાય છે.
નવો વાયરસ કઈ ઉંમરના બાળકોમાં જોવા મળે છે?
અત્યાર સુધીના સમયગાળા અનુસાર આ ચાંદીપુરા વાયરસ સૌથી વધુ બાળકોમાં જોવા મળ્યો છે એટલા માટે સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ ચાંદીપુરા વાયરસ સૌથી વધુ 15 વર્ષ થી નાની ઉંમરના બાળકોમાં જોવા મળે છે.
આ ચાંદીપુરા વાયરસ ના લક્ષણો ની વાત કરીએ તો તેનો ચેપ લાગવા બાદ ગરદનમાં ખેંચાણ, ખૂબ જ તાવ આવવો, ઉલટી થવી જેવી અમુક સમસ્યાઓ જોવા મળે છે, જો કોઈ દર્દી આ રોગના એડવાન્સ સ્ટેજમાં જાય તો તેના મગજ ઉપર પણ આ રોગ અસર કરી શકે છે અથવા તો તે કોમામાં પણ જઈ શકે છે અથવા તેનું મૃત્યુ પામી શકે છે.
ગુજરાતી કોઈપણ ઘટનાના સમાચાર સૌપ્રથમ જાણવા માટે અત્યારે જ અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરો.

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે