ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, સખીવન સ્ટોપ સેન્ટર વગેરે જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી યોજના ચાલુ કરેલ છે, જે મહિલાઓને આપવામાં આવે છે. આજે આપણે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. જેથી અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચવા વિનંતી.
આ યોજના રૂપે 6000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આજના લેખ દ્વારા આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી અમારા દ્વારા તમને પ્રદાન કરીશું જેથી આ યોજનાના લાભો, પાત્રતા, અને અરજી કેવી રીતે કરવી ? તેની વિગતવાર માહિતી સમજાવવામાં આવી છે.
ભારત દેશમાં મહિલાઓને જેટલો જરૂરી પૌષ્ટિક આહાર મળતો નથી. માતા પોતે જ ભૂખ મરાઠી પીળી તો હોય તો નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. અપૂરતા પોષણ વાળી સગર્ભા મહિલાઓને ગર્ભમાં વિકસતા બાળકને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી. એના પરિણામે બાળક ના શારીરિક વિકાસમાં ખામી આવે છે. અને ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહી જાય છે. તેથી કરીને જન્મ સમયે પણ બાળકનું વજન ઓછું રહે છે. તો ગરીબી અને આર્થિક અર્થવ્યવસ્થાને કારણે ઘણી મહિલાઓને પ્રસુતિ સમય સુધી કામ કરવું પડે છે.
બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં ધાવણ બનતું નથી, એટલે પોતે તથા બાળક બંનેમાં ખૂબ નબળાઈ આવી જાય છે. અને ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને વર્ષ 2013 ના રાષ્ટ્રીય ખાદ્ય સલામતી ધારા અન્વયે ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરેલી છે. જેનો અમલ દેશના તમામ રાજ્યો અને જિલ્લાઓમાં કરવામાં આવશે.
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનું હેતુ
PM Matru Vandana Yojana
પ્રથમ બાળકોના જન્મ આપનારી માતાને પ્રશ્રુતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય તે એમનો મુખ્ય હેતુ રહેલ છે.
આરામ કરે એ હેતુસર એણે મળનાર મજૂરીની કમાણી જેટલા નાણા સરકાર તરફથી વળતરરૂપે રોકડ આપવામાં આવશે.
ગર્ભવતી મહિલાઓને અને રાત્રે મહિલાઓને રોકડમાં મજૂરી જેટલા નાણા મળી રહે. અને જરૂરી આરામ મળી રહે પરિણામે પોતાનો અને બાળકનો શારીરિક વિકાસ થઈ શકે છે.
કોને મળશે આ યોજનાનો લાભ?
PM Matru Vandana Yojana
- 2017ના જાન્યુઆરીની પહેલી તારીખ પછી પરિવારમાં પહેલા બાળકને જન્મ આપનારી તમામ ગર્ભવતી મહિલાઓને અને ધાવણા બાળકની માતાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
- લાભાર્થી મહિલાના તબીબી પ્રમાણપત્રમાં દર્શાવેલ માસિક આવ્યા ની તારીખ પ્રમાણે ગર્ભાવસ્થાનું કાળ ગણવામાં આવશે.
ગર્ભ અધુરે પડી જાય અથવા તો મૃત બાળકનો જન્મ થાય એવા સંજોગોમાં
- આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવા પાત્ર છે.
- ગર્ભપડી ગયો હોય સમૃદ્ધ બાળકોનો જન્મ આપ્યો હોય તેવી મહિલાઓને પછીની ગર્ભઅવસ્થા વખતે યોજનાનો લાભ મળી શકશે.
- લાભાર્થીને આર્થિક સહાય નો પહેલો હપ્તો મળી ગયો હોય ત્યારબાદ ગર્ભ પડી જાય તો એ પછીની બીજી ગર્ભઅવસ્થા વેળાવે પેલો હપ્તો બાદ કરીને બાકીના ની સહાય અપાસે.
- યોજના ના કોઈ લાભાર્થીને સહાયના બધા શ્રુતિ અગાઉ મળી ગયા હોય તો.
- જો મૃત બાળક જન્મે તો બીજી વખતની ગર્ભાવસ્થા વખતે આ સહાય નહીં મળી શકે, પરંતુ બાળકના જન્મ પછી રાત્રે મહિલાઓને આપતી સહાય મેળવવા હકદાર ગણાશે.
- આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયક અથવા આશા કાર્યકર બહેનો જો બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓને પ્રધાનમંત્રી યોજના નો લાભ મળી શકે.
આ પણ વાંચો : દીકરીના લગ્ન સુધી 27 લાખની રકમ આપશે lic ની આ યોજના જાણો કેવી રીતે
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના ફાયદા
- સગર્ભા મહિલાઓને પ્રસૃતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર કુલ 5000 ની સહાય આપવામાં આવશે.
- આંગણવાડી કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં નોંધણી કરાવનાર ગર્ભવતી મહિલા અને નોંધણી સમયે પહેલો હપ્તો રૂપિયા 1000 મળશે.
છ માસ પછી તબીબી તપાસ કરાવતી વખતે બીજા હપ્તામાં 2000 રૂપિયા આપશે. - ત્રીજા હપ્તાના 2000 રૂપિયા બાળકના જન્મ પછી બાળકને બીસીજી આ સર્વ પ્રકારની રસી આપ્યા બાદ ચૂકવવામાં આવશે.
- દવાખાનામાં સુવાવડ કરનાર મહિલાને જનની સુરક્ષા યોજના હેઠળ જો આર્થિક સહાય આપવામાં આવતી હશે તો એ રકમ ગણતરીમાં લઈને સગર્ભા મહિલાઓને ઉપરની રકમ પાસે જે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અનુસાર અપાય છે એ કુલ મળીને રૂપિયા 6,000 ની સહાય મળશે.
જરૂરી દસ્તાવેજો
પ્રથમ હપ્તાના દસ્તાવેજો
- અરજી ફોર્મ A
- બાળકની મમતા કાર્ડની ખરી નકલ
- માતાના આધાર કાર્ડ ની નકલ
- બેંક ખાતાની પાસ બુક
- બીપીએલ લાભાર્થીને બીપીએલનો તલાટી નો દાખલો
- શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકામાંથી બીપીએલ નો દાખલો
બીજા હપ્તા માટે
- અરજી ફોર્મ B
- બાળકનું મમતા કાર્ડ ની નકલ
ત્રીજા હપ્તા માટે
- અરજી ફોર્મ c
- બાળક નું મમતા કાર્ડની ખરી નકલ
- આધારકાર્ડ
- બાળકના જન્મ પ્રમાણપત્ર ની નકલ
આ યોજના હેઠળ અરજી કેવી રીતે કરવી?
- યોજના નો લાભ મળવા પાત્ર હોય તેવી મહિલાઓને જે તે રાજ્યો અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ યોજનાનો અમલ કરાવતો હોય તેવી હોસ્પિટલ સરકારી દવાખાના અથવા આંગણવાડી કેન્દ્રમાં પોતાનું નામ નોંધાવવું અગત્ય છે.
- નામ નોંધણી કરાવતી વખતે મહિલા અને તેના પતિએ ફોર્મ એક મેળવીને એમાં બધી જ વિગતો દર્શાવીને જરૂરી આધાર પુરાવા સાથે પોતાની વખતે મહિલાના અને તેના પત્નીના આધાર નંબર મોબાઈલ નંબર બેન્ક અથવા પોસ્ટ ઓફિસ નો ખાતા નંબર આપીને પોતાની અને પત્નીની સંમતિ લેખિતમાં દર્શાવવી પડશે.
- રજીસ્ટ્રેશન માટે ના ફોર્મ ની કોઈ કિંમત રખાતી નથી અને આ ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા તો સરકારી દવાખાના કે હોસ્પિટલમાં મેળવી શકાશે, આ યોજનાના લાભાર્થીને નામ નોંધાવ્યા પછી જ્યાં ફોર્મ આપ્યું હોય ત્યાંથી સ્વીકાર નંબર મેળવવાનું રહેશે. જે બતાવવાથી યોજનાના વિવિધતા ની રકમ આપવામાં આવશે.
- નામ નોંધણી પછી માતા અને શીશુ સુરક્ષા કાર્ડ લાભાર્થીને આપવામાં આવશે, તે પછી આધાર કાર્ડ કે ઓળખના પુરાવા અને બેંક કે પોસ્ટ ઓફિસના ખાતા નંબરો આપ્યા બાદ યોજનાનો પહેલો હપ્તો મળી જશે.
- ગર્ભવસ્થાના છ મહિના પછી ફોર્મ એક ભરીને માતાની સુરક્ષા કાર્ડની નકલ તેમજ બાળકના જન્મ પૂર્વે થયેલી તબીબી તપાસ નો રિપોર્ટ આપવાથી યોજનાનો બીજો હપ્તો આપશે.
હું આશા રાખું છું કે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ કેટલી સહાય મળે છે અરજી કેવી રીતે કરવી? કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે ? તેની તમામ વિગત અમારા આ સચોટ અને સુવ્યવસ્થિત લેખને વાંચીને તમને મળી ગઈ હશે. આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.
વધુ વાંચો :
લેપટોપ ખરીદી સહાય યોજના: વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે સરકાર કરશે આર્થિક સહાય, આ રીતે કરો અરજી
કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને મળશે રૂપિયા 75000 ની સહાય

Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.