TMKOC : ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા સોળ વર્ષથી થી લોકો ને હસાવી રહ્યું છે. બાળકોથી લઈને વૃદ્ધો ને પણ આ શો જોવો ગમે છે, છેલ્લા પાંચ વર્ષમાં ઘણા એક્ટર પણ રિપ્લસ થયા છે. જેના કારણે આ શો વિવાદોમાં પણ આવ્યો હતો. તેવામાં એક ખુશી ના સમાચાર આવી રહ્યા છે કે હવે આ બે એક્ટર ની એન્ટ્રી આ શો માં થવાની છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા સોળ વર્ષથી લોકોને હસાવતું આવ્યું છે, બાળકો થી લઈને પુખ્તવયના લોકોને પણ આ શો જોવો ખૂબ ગમે છે. આ શો નું સૌથી ફની કેરેક્ટર જેઠાલાલ, દયા, ભીડે અને અય્યર છે. દરેક પાત્રે પોતાની એક્ટિંગથી લોકો ને ખુબ હસાવ્યા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો દરેક એપિસોડ ઘણી વખત ચર્ચામાં રહે છે. હવે આવનાર નવા એપિસોડ ખૂબ મજેદાર બનવાનો છે કારણ કે આ નવા એપિસોડમાં બે વ્યક્તિઓની એન્ટ્રી થવાની છે.
તાજેતરમાં, ઓલિમ્પિક મેડલીસ્ટ ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આવ્યા હતા. અમન સેહરાવત એ ગોકુલધામ સોસાયટી ના સભ્યો સાથે ધૂમ ધામથી ગણેશ ચતુર્થી ની ઉજવણી કરી હતી. અમન સેહરાવતએ ગણેશજી ની આરતી ઉતારી હતી અને સાથે સાથે ગોકુલધામ સોસાયટીના સભ્યો સાથે ડાન્સ પણ કર્યો.
આ બે કલાકારો શોમાં કરશે એન્ટ્રી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અમન સેહરાવત બાદ બે નવા મહેમાનો પણ શો માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પ્રખ્યાત સિંગર-એક્ટર ધ્વનિ ભાનુશાલી અને આશિમ ગુલાટી જોવા મળવાના છે. આ બંને કલાકારો તેમની આગામી ફિલ્મ “કહા શરૂ કહા ખતમ” ના પ્રમોશન માટે ગોકુલધામ સોસાયટી માં આવવાના છે. સૌરભ દાસગુપ્તાના નિર્દશન નીચે બનેલી આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે થીટર માં રિલીઝ થવાની છે.
નવી દયા અને પોપટલાલની પત્નીની ક્યારે થશે એન્ટ્રી ?
ઘણાં લોકોના મનન માં પ્રશ્ન થતો હોય છે કે દયા અને પોપટલાલ ની પત્ની ક્યારે આવશે, ઘણા લાંબા સમયથી દયા પણ શો જોવા મળી નથી અને પોપટલાલ ની પણ સગાઈ થતી થતી રહી જાય છે જેના કારણે લોકો અસિત મોદીથી ખુબ નારાજ છે જેના કારણે શો ની TRP માં પણ ઘણો ઘટાડો જોવા મળ્યો છે. જેના પગલે અસિતકુમાર મોદીએ જણાવ્યું છે કે હું થોડા જ સમય ની અંદર દયા ને પણ પાછી લાવીશ અને પોપટલાલની સગાઈ પણ કરાવીશ.
જો આ વખતે પણ દયા કે પોપટલાલ ની સગાઈ ના થઈ તો લોકો શો જોવાનું પણ બંધ કરી શકે છે. કારણ કે અસિત કુમાર મોદી લોકો ને લાંબા સમયથી ઉલ્લુ બનાવી રહ્યા છે જેના કારણે લોકો તેમનાથી નારાજ છે.
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો, જેથી તમને સમયસર અપડેટ્સ મળતી રહે.
વધુ વાંચો :
પીએમ મુદ્રા લોન યોજના: ભારતના નાના વ્યવસાયોને મળશે લાખો રૂપિયા સુધીની લોન, આ રીતે કરો અરજી
Samsung Galaxy M05 4G : ફક્ત 7,999 રૂપિયામાં મેળવો 1TB સુધીની સ્ટોરેજ અને 50MP ના કૅમેરા

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.