નમસ્કાર મિત્રો આજે અમે તમને વ્હાલી દિકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ.

ઘણા માતા પિતા દીકરીઓને ઓછું ભણાવતા હોય છે અથવા તો દીકરીને નાની ઉંમર માં લગ્ન કરાવી દેવામાં આવે છે, અથવા તો દીકરીને જન્મ આપવો તે તેમને ગમતું નથી, તેના કારણે સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજના માટે પાત્રતા

જે પણ દિકરી આ યોજનાનો લાભ લેવા ઇચ્છે છે તે ગુજરાતની નિવાસી હોવી જરૂરી છે તો જ તેમને આ યોજનાનો લાભ મળી શકે છે.

જે દીકરીઓનો જન્મ 02/08/2019 પછી થયો હોય તેમને આ યોજનાનો લાભ મળી શકે છે.

જે પણ દીકરીના માતા પિતાની આવક બે લાખ રૂપિયાથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળી શકે છે. (ગ્રામીણ અને શહેરી બંને માટે એક જ આવક માપદંડ રાખેલ છે

દીકરીના પરિવાર પાસે BPL રાશન કાર્ડ હોય તો જ આ યોજનાનો લાભ મળી શકે.

જો કોઈપણ દીકરી ના માતા પિતા ના હોય તો તે દીકરીના ભાઈ બહેન અથવા તેના દાદા દાદી ગાર્ડિયન તરીકે દીકરી માટે આ યોજના નો લાભ મેળવવા માટે આવેદન કરી શકે છે.

સૌપ્રથમ તમારે તમારી નજીકની મામલતદાર કચેરીમાં જઈ ને ત્યાંથી આનુ ફોર્મ પ્રાપ્ત કરીને ભરવાનું રહેશે, ત્યાર બાદ તમારે આ ફોર્મ ને ત્યાં જમાં કરાવવાનું રહેશે.