ગુજરાતની નિર્ભયાનું મોત : 8 દિવસ બાદ બાળકીનું મોત નીપજ્યું, આખીર ન્યાય ક્યારે મળશે ?

WhatsApp Group Join Now

ગુજરાતની નિર્ભયાનું મોત : ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ બાદ 8માં દિવસે તેનું મોત થયું છે. પરંતુ હવે બાળકી પર દુષ્કરમ આચરનાર ને સજા ક્યારે થશે તે સવાલ બધાના મનન માં છે. બાળકી ની સારવાર સતત 8 દિવસ થી ચાલી રહી હતી. પરંતુ બાળકી 8 માં દિવસે હોસ્પિટલ માં સારવાર દરમિયાન દમ તોડ્યો. ગુજરાતમાં POSCO (પ્રોડક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફન્સિસ એક્ટ હેઠળ 4375 જેટલા કેસ હજુ ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 31 ઓક્ટોબર 2024ની સ્થિતિ એ દુષ્કર્મના હજુ 912 કેસ રાહ જોઈ રહ્યા છે. ગુજરાતની આ ઘટના થી સમગ્ર ગુજરાતમાં આક્રોશ જોવા મળી રહ્યો. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 16 ડિસેમ્બરે બનેલી ઘટનાએ આખા ગુજરાતમાં ચકચાર મચાવી દીધો છે. 16 ડિસેમ્બરની બપોરે પાડોશમાં રહેતો યુવાન 10 વર્ષની બાળકીનું અપહરણ કરીને સુમસાન જગ્યા એ લઈ ગયો હતો જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું. આ સાથે તેણે કુરતા ની હદ વટાવી ને બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દીધો. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે બાળકીને ભરૂચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ ત્યાં પણ સ્થિતિની સારી ન થતાં બાળકી વડોદરાની સયાજીરાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

બાળકીને સતત 8 દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી પરંતુ તેના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દીધો હતો તે સળિયે આંતરડા સુધી ઇન્ફેક્શન પ્રસરી ગયું હતું.

દુષ્કર્મની ભોગ બનેલી માસૂમ બાળકી નું મોત થતાં લોકોમાં ભારે રોષ છે. ઝઘડિયાની દુષ્કર્મ પીડિત બાળકીનું મોત થતાં પ્રદેશ કોંગ્રેસ ના પ્રવક્તા મનીષ દોશીએ ગૃહ વિભાગ પર સવાલ ઉઠાવ્યા છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 600થી વધુ દીકરીઓ દુષ્કર્મ નો ભોગ બની છે.

દેશમાં આટલા દુષ્કર્મ કેમ થઈ રહ્યા છે ?

દેશમાં આટલા દુષ્કર્મ ના કેસ થઈ રહ્યા છે પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકાર ના પગલાં ઉઠાવવામાં આવતા નથી. જ્યારે બાકી દેશો કુવૈતમાં જ્યારે કોઈ દુષ્કર્મ કરે છે તેને 7 દિવસ માં મોતની સજા , ઈરાનમાં 24 કલાકમાં પત્થરો થી મારી દેવામાં આવે છે, અફઘાનિસ્તાન માં દુષ્કર્મ આચરનાર ને ગોળી મારી દેવામાં આવે છે, જ્યારે ચીનમાં મેડિકલ તપાસમાં પ્રમાણિત થયા પછી તરત મુત્યુ દંડ આપવામાં આવે છે. પરંતુ ભારતનો કાયદો એવો છે કે રેપિસ્ટ ને કાતો ફાંસી આપવી અથવા ઉંમર કેદ જેના કારણે મોટા ભાગના રેપિસ્ટ ને ફક્ત ઉંમર કેદની જ સજા આપવામાં આવે છે જેના કારણે રેપિસ્ટઓ માં સજા નો ભય ખતમ થઈ ગયો છે. પરંતુ જો સરકાર 24 કલાક માં રેપિસ્ટ ને ફાંસીની સજા આપે તો આવા કેસ બને જ નહીં.

બીજું એક કારણ છે અસ્લિલ વીડિયો, ભારત સરકાર દ્વારા અસ્લીલ વીડિયો પર કોઈ બેન નથી લગાડવામાં આવતું.જેના કારણે લોકો બીના ડર વગર આવા વીડિયો જોવા છે અને તેની સીધી અસર લોકોના મગજ પર થાય છે. જો સરકાર પોર્ન વિડિયો પર બેન લગાડી દે તો દુષ્કર્મ ના કેસ ઓછા થઈ જશે.

આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને આવી જ લેટેસ્ટ અપડેટ મળતી રહે.

વધુ વાંચો :

2 સિમ કાર્ડ વાપરતા લોકો માટે મહત્વના સમાચાર: TRAI એ કર્યો મોટો નિર્ણય!

ખેડૂતો માટે ખુશખબર: PM કિસાન યોજનાનો 19મો હપ્તો જલદી જ જારી થવાની શક્યતા

SBI RD yojana : ફક્ત 10,000 રૂપિયા ભરો અને મેળવો 7,09,902 રૂપિયા, જાણો કેટલા વર્ષ માટે ભરવા પડે છે રૂપિયા ?

Leave a comment