સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ ગુમાવી શકે છે? ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત, હાર્દિક પંડ્યા પર સૌની નજર

સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ ગુમાવી શકે છે? ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત, હાર્દિક પંડ્યા પર સૌની નજર

WhatsApp Group Join Now

2024ના T20 વર્લ્ડ કપ બાદ સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમની કમાન સોંપવામાં આવી હતી. તેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ કેટલીક મહત્વની શ્રેણીઓ અને ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. જોકે, કેપ્ટન તરીકે સફળતા છતાં, સૂર્યકુમારનું વ્યક્તિગત બેટિંગ ફોર્મ લાંબા સમયથી ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની રહ્યું છે.

ભારત અને શ્રીલંકામાં યોજાનાર 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત આજે શનિવાર, 20 ડિસેમ્બરે થવાની છે. આ મહત્વની બેઠક મુંબઈમાં BCCIના મુખ્યાલય ખાતે યોજાશે, જેમાં પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરની આગેવાની હેઠળ તમામ પાંચ પસંદગીકારો હાજર રહેશે.

મીડિયા અહેવાલ મુજબ, વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આ બેઠકમાં ભાગ લઈ શકે છે. બેઠક પૂર્ણ થયા બાદ અજિત અગરકર બપોરે 1:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમની સત્તાવાર જાહેરાત કરશે. BCCIએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર પણ હાજર રહેશે.

સૂર્યકુમારના ફોર્મ પર કેમ ઊભા થયા પ્રશ્નો?

ટીમની જાહેરાત પહેલાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી અંતિમ T20 મેચ બાદ સૂર્યકુમાર યાદવ અંગેની ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે. અમદાવાદમાં રમાયેલી આ મેચ ભારતે 30 રનથી જીતી હતી, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર ફરી એકવાર બેટિંગમાં નિષ્ફળ રહ્યો. તેણે 7 બોલમાં માત્ર 5 રન બનાવ્યા હતા.

આ આખી શ્રેણીમાં સૂર્યકુમાર 4 ઇનિંગ્સમાં ફક્ત 34 રન જ બનાવી શક્યો હતો. માત્ર આ શ્રેણી જ નહીં, પરંતુ સમગ્ર 2025 વર્ષ પણ તેના માટે નિરાશાજનક સાબિત થયું છે. આ વર્ષે તેણે 21 T20 ઇનિંગ્સમાં 13.62ની સરેરાશ અને 123ના સ્ટ્રાઈક રેટથી કુલ 218 રન બનાવ્યા છે, જેમાં એક પણ અડધી સદી સામેલ નથી.

આ સ્થિતિ ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલ બની શકે છે, કારણ કે જો વર્લ્ડ કપ દરમિયાન સૂર્યકુમાર કેપ્ટન રહેશે અને ફોર્મ સુધરશે નહીં, તો તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવો લગભગ અશક્ય બની જશે.

શું સૂર્યકુમાર કેપ્ટનશીપ ગુમાવી શકે?

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પસંદગી સમિતિ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપમાંથી દૂર કરવાનો કોઈ અચાનક નિર્ણય લઈ શકે છે? શું હાર્દિક પંડ્યાને ફરી એકવાર T20 ટીમની કમાન સોંપવામાં આવી શકે?

હાર્દિક પંડ્યાએ તાજેતરની શ્રેણીમાં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમ છતાં, કોચ ગૌતમ ગંભીર અને અજિત અગરકરના અત્યાર સુધીના નિવેદનો જોવામાં આવે તો, હાલ સૂર્યકુમારને કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવશે એવી સંભાવના વધુ છે.

કારણ કે 2026 T20 વર્લ્ડ કપમાં હજુ લગભગ દોઢ વર્ષનો સમય બાકી છે અને સૂર્યકુમાર લાંબા સમયથી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.

વર્લ્ડ કપ બાદ બદલાઈ શકે છે કેપ્ટન?

મીડિયા અહેવાલો મુજબ, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ 2026 T20 વર્લ્ડ કપ સુધી જ મર્યાદિત રહી શકે છે. વર્લ્ડ કપ બાદ નવા કેપ્ટનની નિમણૂક કરવામાં આવી શકે છે. તેનું મુખ્ય કારણ સૂર્યકુમારનું સતત નબળું ફોર્મ અને તેની વધતી ઉંમર છે.

હાલ સૂર્યકુમાર 35 વર્ષનો છે અને આગામી T20 વર્લ્ડ કપ દરમિયાન તેની ઉંમર 37 વર્ષ થશે, જે T20 ફોર્મેટ માટે મહત્વપૂર્ણ પરિબળ બની શકે છે.

કોને બહાર રહેવું પડી શકે?

સૂર્યકુમાર સાથે સાથે ટીમના ઉપ-કપ્તાન શુભમન ગિલનું પ્રદર્શન પણ ચર્ચામાં છે. ગિલ આ વર્ષે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. તેમ છતાં, તેને ટીમમાંથી બહાર કરવાની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં યશસ્વી જયસ્વાલને બહાર રાખવામાં આવી શકે છે. જ્યારે નીતિશ કુમાર રેડ્ડી, રિંકુ સિંહ અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓને રિઝર્વ તરીકે પસંદ કરવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયાની સંભવિત T20 ટીમ

  • સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)

  • શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન)

  • અભિષેક શર્મા

  • તિલક વર્મા

  • હાર્દિક પંડ્યા

  • જિતેશ શર્મા (વિકેટકીપર)

  • સંજુ સેમસન (વિકેટકીપર)

  • શિવમ દુબે

  • વોશિંગ્ટન સુંદર

  • અક્ષર પટેલ

  • કુલદીપ યાદવ

  • જસપ્રીત બુમરાહ

  • અર્શદીપ સિંહ

Leave a comment