WhatsApp Group Join Now

ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં યુવકે પેન્ટ પર લખી સુસાઈડ નોટ પછી કરી આત્મહત્યા ! તમે પણ કારણ જાણીને ચોંકી જશો!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ફર્રુખાબાદ (ઉત્તર પ્રદેશ) – અહીંથી એક દિલ દ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે પોતાની પીડા વ્યક્ત કરવા માટે કાગળ કે ડાયરી નહીં, પણ પહેરેલી સફેદ પેન્ટ પર આત્મહત્યાની ચિઠ્ઠી લખી નાખી અને પછી પોતાનું જીવન સમાપ્ત કરી નાખ્યું. યુવકએ જે લખ્યું છે તે વાંચીને કોઈનું પણ દિલ દુખી જશે.

શું હતો સંપૂર્ણ મામલો?

મૃતક યુવકનું નામ દિલીપ હતું. યુવકની પત્નીએ પોલીસમાં ત્રાસ અને મારપીટની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ બાદ બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવાયા. યુવકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, પોલીસકર્મીઓએ ફરિયાદમાંથી બચવા માટે દલાલી કરતા પહેલા ₹50,000 માં સમાધાન કરવાની વાત કરી, પછીથી ₹40,000 માં માન્યાં.

ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં યુવકે પેન્ટ પર લખી સુસાઈડ નોટ પછી કરી આત્મહત્યા ! તમે પણ કારણ જાણીને ચોંકી જશો!

યુવકનું માનસિક દબાણ

યુવક પોતે ગરીબ હતો, મજૂરી કરીને પેટ પોષતો હતો. તેણે ઘણા પ્રયત્ન કર્યા કે મામલો શાંતિથી ઉકેલાઈ જાય, પણ પોલીસ અને પત્ની તરફથી સતત દબાણ મળતું રહ્યું. પરિવારના જણાવ્યા અનુસાર યુવકને તેની પત્ની તરફથી અને પોલીસ તરફથી ખૂબ અપમાન અને માનસિક તણાવ મળતો હતો. આખરે જ્યારે કંઈ પણ ઉપાય બાકી ન રહ્યો, ત્યારે દિલીપે પોતે પહેરેલી સફેદ પેન્ટ પર જ તેની આખી વ્યથા લખી નાખી – એ પણ નેવી બ્લુ પેનથી.

સુસાઇડ નોટમાં શું લખ્યું હતું ?

“મારે જીવનમાં કોઈ રસ્તો રહ્યો નથી. મારી પત્નીએ મારી સામે પોલીસમાં જુઠ્ઠી ફરિયાદ કરી છે. પોલીસ મારો શોષણ કરે છે. મારી પાસે પૈસા નથી કે હું તેમનાથી બચી શકું. મારે હવે જીવવું નથી. મને કફન પણ ના આપશો. મારી આ પેન્ટ જ મારું કફન છે. મારી આત્મહત્યાનું જવાબદાર – મારી પત્ની, તેનાં માતા-પિતા અને પોલીસ સ્ટાફ છે.”

આ પણ વાંચો: ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 – જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા 

કેવી રીતે ભર્યુ આત્મહત્યાનું પગલું?

યુવક ઘરે આવ્યો. આખો દિવસ સ્ટ્રેસ રહ્યો.બપોર પછી કોઈએ ઘરમાંથી અવાજ ન સાંભળતાં પરિવારજનો ગયા અને જોયું તો તે છતના કાંસાથી ફાંસી પર લટકતો મળ્યો. તેની લાશ નીચે ઉતાર્યા પછી પેન્ટ પર લખેલી ચિઠ્ઠી જોઈને બધા હેરાન રહી ગયા.

પોલીસે શું કર્યું ?

યુવકના પિતા અને કાકાએ પોલીસ અને સસરાં પક્ષ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. પોલીસએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું અને એમાં બહારના કોઈ ઇજાના નિશાન ન મળ્યા. પોલીસ હવે મૃતકના લખેલા સંદેશ આધારે તપાસ આગળ વધારશે. DSPએ કહ્યું કે, “ફિલહાલ FIR દાખલ કરી છે અને કેસની યોગ્ય તપાસ ચાલી રહી છે. દોષિત સામે કાયદેસર પગલા લેવામાં આવશે.”

વધુ વાંચો: 

18 જુલાઈ 2025 – આજનું રાશિફળ: જાણો કઈ રાશિ માટે શુક્રવાર લાવશે શુભ સમાચાર

Bitcoin શું છે? શું હાલમાં તેમાં ઇન્વેસ્ટ કરવું યોગ્ય છે?

Leave a comment